આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા મુખ્ય ચર્ચાનો વિષય બન્યા હતા. કેટલાક તેમને પસંદ કરે છે, જ્યારે કેટલાક હજુ પણ તેમના ઉપર પ્રશ્નો ઉઠાવે છે.
હાલમાં જ યુવા MI બેટ્સમેન તિલક વર્માએ હાર્દિકની કપ્તાની વિશે એક મોટો ખુલાસો કર્યો છે. અને... તેમણે કોઈ ડર વિના સાચી વાત કહી છે.
તિલકે કહ્યું હતું કે: "કંઈ ભૂલ થાય તો બધા કહે છે 'હાર્દિક ભાઈને જઈને કહો'."
આ ટિપ્પણી દર્શાવે છે કે કેપ્ટન તરીકે હાર્દિક કેટલું દબાણ અને જવાબદારી લઇ રહ્યો છે.
ટીકાઓ છતાં, હાર્દિક શાંત રહે છે અને યુવા ખેલાડીઓ સહિત ટીમને ટેકો આપે છે.
તિલકે વધુમાં એ પણ કહ્યું હતું કે: "હાર્દિક ભાઈ ખાતરી કરે છે કે અમે રમત દરમ્યાન આરામદાયક રહીએ અને અમારી રજૂઆત કરવાની સ્વતંત્રતા હોય."
રોહિત શર્માની જગ્યાએ MIની કેપ્ટનશીપ સંભાળ્યા પછી હાર્દિકને ઓનલાઈન ખુબ ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ તિલક જેવા ખેલાડીઓ તેમને ટેકો આપે છે.
તિલકે કહ્યું કે, "તે જવાબદારી લે છે, ખેલાડીઓને સુરક્ષિત રાખે છે,અને અમને સક્રિય રીતે સાંભળે છે. આ જ છે સાચું નેતૃત્વ - ચાહે ચાહકો માને કે ના માને".
તિલક વર્માની ટિપ્પણીઓ દર્શાવે છે કે ડ્રેસિંગ રૂમમાં હાર્દિકને ખુબ આદર મળે છે. મેદાન પર કે બહાર - હાર્દિક ખરેખર સાચા કેપ્ટનની જેમ આગળથી નેતૃત્વ આપે છે.